ટંકારાના વિરપર ગામે શાળાના શિક્ષકોને વિદાયમાન અપાયું

- text


ટંકારા: તાલુકાના વિરપર ગામે પ્રાથમિક શાળાના શિક્ષક અને શિક્ષિકા વયનિવૃત થતા વિદાય સન્માન સમારોહ આયોજિત કરવામાં આવ્યો હતો.

વિરપર ગામની પ્રાથમિક શાળામાં ૧૫ વર્ષથી શિક્ષણ કાર્ય કરનારા શિક્ષક જસમતભાઈ ભેંસદડીયા અને 26 વર્ષથી કાર્યરત રહેલા શિક્ષિકા દમયંતીબેન એમ. પટેલને ગામની શાળામાં ઉમદા અને ઉત્ક્રાંતિ શિક્ષણ તથા સમાજ સેવાની કામગીરીને બિરદાવવા માટે તેમનો નિવૃત્તિ સન્માન કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી બી. એન.વીડજા, મુખ્ય મહેમાન મામલતદાર કેતનભાઇ સખીયા, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દિનેશભાઈ ગરચર, તાલુકા વિકાસ અધિકારી હર્ષવર્ધનસિંહ જાડેજા, ટંકારા તાલુકા પંચાયત પ્રમુખ પુષ્પાબેન કામરીયા, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શર્મિલાબેન હુમલ, મદદની તાલુકા વિકાસ અધિકારી ગૌતમભાઈ ભીમાણી, તેમજ જિલ્લા પંચાયત સિંચાઈ સમિતિના ચેરમેન ચંદ્રિકાબેન કડીવાર, આરોગ્ય સમિતિના ચેરમેન હીરાલાલ ટમારીયા, જિલ્લા પંચાયત સદસ્ય કમળાબેન ચાવડા હાજર રહ્યા હતા. નિવૃત થયેલા બંને શિક્ષકોનું સાલ ઓઢાડીને અદકેરુ સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિરપર ગામના સરપંચ મહેશભાઈ લીખીયા અને પંચાયતના સભ્યો હાજર રહ્યા હતા.

- text

- text