માળીયાના મોટાભેલા ગામે શંકર ભગવાનની મૂર્તિ ખંડિત કરી નંખાઈ

- text


ગામના જ એક શખ્સે મૂર્તિ ખંડિત કરતા પોલીસ ફરિયાદ

મોરબી : માળીયા તાલુકાના મોટાભેલા ગામે ગામના જ એક શખ્સે સ્મશાનમાં મુકવામાં આવેલ શંકર ભગવાનની મૂર્તિ ખંડિત કરી નાખતા આ મામલે માળીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ માળીયા તાલુકાના મોટા ભેલા ગામે રહેતા હસમુખભાઇ રવજીભાઇ શેરસીયાના દાદાએ વર્ષો પૂર્વે ગામના સ્મશાનમાં આસ્થા સાથે ભગવાન શંકરની મૂર્તિની સ્થાપના કરાવેલ હતી જે મૂર્તિ ગામના જ ભરતભાઇ જીવણભાઇ સોમાણી નામના શખ્સે કોઈ કારણોસર તોડી નાખી ખંડિત કરી ધાર્મિક લાગણી દુભાવતા આ મામલે માળીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ 295 મુજબ આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

- text