- text
કોરોના મોક્ષાર્થે યોજાયેલ ભાગવત કથામાં આજે રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા, પૂર્વ રાજ્યમંત્રી ગોવિંદભાઇ પટેલ, વાસણભાઇ આહીર અને ટંકારાના કોંગ્રેસના ધારાસભ્ય લલિતભાઈ કગથરાએ કથા શ્રવણ કર્યું
મોરબી : મોરબીના આંગણે પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા દ્વારા કોરોના દિવંગતોના મોક્ષાર્થે યોજાયેલ ભાગવત કથામાં દરરોજ વિવિધક્ષેત્રના મહાનુભાવો કથા શ્રવણનો લાભ લઈ રહ્યા છે ત્યારે આજરોજ ભાગવત સપ્તાહમાં રાજકોટના સાંસદ અને મોરબીના વતની મોહનભાઇ કુંડારીયા, રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા, કચ્છના પૂર્વ મંત્રી વાસણભાઇ આહીર, રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા, પૂર્વમંત્રી ગોવિંદભાઇ પટેલ,ટંકારાના ધારાસભ્ય લલિતભાઈ કગથરા મોરબી જિલ્લા ભાજપ અધ્યક્ષ દુર્લભજીભાઈ દેથરીયા, પૂર્વ જિલ્લા ભાજપ અધ્યક્ષ રાઘવજીભાઈ ગડારા સહિતના મહાનુભાવોએ કથાશ્રવણનો લ્હાવો લીધો હતો.
- text
- text