નીતિવિજય સેવા કેમ્પ દ્વારા ભગવતી હોલ ખાતે પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન

- text


 

મોરબી: હાલ મોટી સંખ્યામાં પદયાત્રીઓ કચ્છ ખાતેના મા આશાપુરાના મઢે દર્શનાર્થે જઈ રહ્યા છે. ત્યારે આ પદયાત્રીઓને રસ્તામાં કોઈ પણ જાતની તકલીફ ન પડે તે માટે નીતિ વિજય સેવા કેમ્પ દ્વારા મોરબીના વાવડી બાયપાસ રોડ પર આવેલા ભગવતી હોલ ખાતે 15 સપ્ટેમ્બર થી 21 સપ્ટેમ્બર સુધી સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

- text

છેલ્લા 30 વર્ષથી નીતિ વિજય સેવા કેમ્પ દ્વારા આ કેમ્પનું આયોજન કરાઈ રહ્યું છે. જેમાં પદયાત્રીઓ માટે ભોજન, સ્નાન, આરામ અને મેડિકલ સહિતની તમામ સુવિધાઓ આપવામાં આવી રહી છે. આ સેવા કેમ્પમાં પ્રવીણભાઈ પઢારીયા, વસંતભાઈ, સંજયભાઈ પઢારીયા સહિતના લોકો સેવા બજાવી રહ્યા છે.

- text