ગુજરાત પ્રદેશ એનએસયુઆઇના મંત્રીપદે મોરબી યુવા અગ્રણીની નિમણુંક

- text


મોરબી : ગુજરાત પ્રદેશ એનએસયુઆઇના નવા બનાવેલ માળખામાં મંત્રી પદે મોરબીનાં કુલદીપસિંહ જાડેજાને નિમણુંક આપવામાં આવી છે.

મોરબી જિલ્લા એનએસયુઆઇ પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજા ના જણાવ્યા મુજબ યુથ કોંગ્રેસમાં રહી વિદ્યાર્થી અને યુવાનોનાં પ્રશ્નોને વાચા આપી છે.સ્પર્ધાત્મક પરીક્ષાઓને લઇ થતાં છબરડા મુદ્દે પણ તેમને અલગ અલગ આંદોલનમાં નેતૃત્વ કરનાર મોરબીનાં કુલદીપસિંહ જાડેજાને તેમની કામગીરી અને પક્ષની વિચારધારાને નિષ્ઠાપૂર્વક વરાયેલ હોવાથી તેમને ગુજરાત પ્રદેશ એનએસયુઆઇનાં મંત્રી તરીકે નીમણૂક આપવામાં આવી છે.

- text

- text