મોરબી નગરપાલિકાના ત્રણ કર્મચારીઓની બદલી

- text


 

અત્યાર સુધી સાઈડ પોસ્ટમાં રહેલા કૃષ્ણસિંહની ફરી સેનેટરી ઇન્સ્પેક્ટર તરીકે નિમણૂક

મોરબી : મોરબી નગરપાલિકામાં વહીવટ સુદ્રઢ કરવા માટે ચીફ ઓફિસર દ્વારા ત્રણ કર્મચારીઓની બદલી કરવામાં આવી છે. જેમાં અત્યાર સુધી સાઈડ પોસ્ટમાં રહેલા કૃષ્ણસિંહની ફરી સેનેટરી ઇન્સ્પેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે.

- text

મોરબી નગરપાલિકાના ત્રણ કર્મચારીઓને ચીફ ઓફિસરે સંદીપસિંહ ઝાલા દ્વારા નવી જવાબદારીઓ સોંપવામાં આવી છે. જેમાં અગાઉ સેનેટરી ઇન્સ્પેક્ટર રહી ચૂકેલા અને હાલ મેલેરિયા વિભાગમાં રહેલા કૃષ્ણસિંહ જાડેજાને ફરી સેનેટરી ઇન્સ્પેક્ટરનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. આ ઉપરાંત પવડી અને મેલેરિયા વિભાગના હિતેશભાઈ રવેશિયાને ગેરેજ મિકેનેકલ વિભાગમાં અને હાલમાં બધાંકામ વિભાગના ક્લાર્ક રહેલા પ્રવીણભાઈ પટેલને પવડી વિભાગમાં મુકવામાં આવ્યા છે.

 

- text