- text
મોરબી : મોરબી જિલ્લામાં છેલ્લા ઘણા દિવસથી કોરોનાના વળતા પાણી શરૂ થયા હોય, અંતે આજે જિલ્લો કોરોના મુક્ત બની ગયો છે.
- text
મોરબી જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા આજે 349 જેટલા દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા. તેમાંથી આજે એક પણ દર્દીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો નથી. બીજી તરફ ગઇકાલની સ્થિતિએ કોરોનાના મોરબીમાં 3 એક્ટિવ કેસ હતા. આ ત્રણેય દર્દીઓ પણ આજે રિકવર થઈ ગયા છે. એટલે કોરોનાના એક્ટિવ કેસ ઝીરો થઈ ગયા છે. આમ જિલ્લો આજે ફરી કોરોના મુક્ત જાહેર થઈ ગયો છે.
- text