- text
મોરબી : મોરબીમાં પ્રાંતીય વૈદિક ગણિત પ્રશ્નમંચનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં શિશુમંદિરના વિદ્યાર્થીઓ બીજા ક્રમે આવેલ હતા.
વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ દ્વારા આયોજિત પ્રાંતીય વૈદિક ગણિત પ્રશ્નમંચ પ્રતિયોગીતામાં કુલ 10 વિભાગમાંથી વિદ્યાર્થીઓ આવ્યા હતા.જેમાં મોરબી શિશુમંદિર ધો – 9ના વિદ્યાર્થીઓ મનન કિરીટભાઈ રૂપાલા, સ્વરા કલ્પેશભાઈ રાજપરા અને વિશ્વા વિપુલભાઈ કાલરીયાએ દ્વિતિય સ્થાન પ્રાપ્ત કરી શિશુમંદિરનું ગૌરવ વધારેલ છે.શિશુમંદિર પરિવાર વતી તમામ વિદ્યાર્થીઓ અને માર્ગદર્શન આપનાર આચાર્ય વિજયભાઈ ભલગામાને અભિનંદન પાઠવ્યા હતા.
- text
- text