મોરબી ખાતે લોકસંપર્ક યોજી રજૂઆતો સાંભળતા રાજયમંત્રી

- text


મોરબી : શ્રમ, રોજગાર અને કૌશલ્ય વિકાસ, પંચાયત (સ્વતંત્ર હવાલો), ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ રાજયમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ મોરબી સર્કિટ હાઉસ ખાતે લોકસંપર્ક યોજી ઉપસ્થિત રહેલ નાગરિકોના પ્રશ્નો તથા રજૂઆતો સાંભળી હતી તેમજ નાગરિકો દ્વારા કરવામાં આવેલ રજૂઆતો ધ્યાને લઈ તે પ્રશ્નોનો સત્વરે સકારાત્મક ઉકેલ આવે તે અંગે યોગ્ય કાર્યવાહી હાથ ધરવા પણ સબંધિત અધિકારીઓને સૂચના આપી હતી.

રાજ્યમંત્રી દ્વારા યોજવામાં આવેલ આ લોકસંપર્ક કાર્યક્રમમાં મોરબી શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાંથી બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા અને નગરપાલિકા, રોડ-રસ્તા વગેરે બાબતે રજૂઆત મંત્રી સમક્ષ મૂકી હતી.

- text

- text