અમારી સામે ફરિયાદ કેમ આપે છે કહી વાંકાનેરમાં યુવાન ઉપર છરી વડે હુમલો

- text


વાંકાનેર : વાંકાનેરના લક્ષ્મીપરા વિસ્તારમાં રહેતા યુવાનને આંતરી મોડીરાત્રે રિક્ષામાં આવેલા બે શખ્સોએ અમારા વિરુદ્ધ ફરિયાદ કેમ આપે છે કહી રેલવેના નાલા નજીક ધોકા વડે હુમલો કરી છરીના ઘા ઝીંકી દેતા વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેરના લક્ષ્મીપરા વિસ્તારમાં રહેતા ઈનાયતભાઈ અયુબભાઇ પીપરવાડીયા નામનો યુવાન ગત તા.4ના રોજ મોડીરાત્રે જકાતનાકા નજીક ચા ની હોટલે ઉભો હતો ત્યારે વાંકાનેરમાં જ રહેતા આરોપી જાકીરભાઈ મહંમદભાઇ રાઠોડ અને નુરમહંમદભાઈ મકવાણા ઓટો રિક્ષામાં આવી ધોકો લઈને નીચે ઉતરતા ફરિયાદી ઈનાયતભાઈ અયુબભાઇ પીપરવાડીયા ત્યાંથી એક્ટિવા લઈ જતા રહેતા રીક્ષામાં પીછો કરી સર્વિસ રોડ રેલવે નાલા નજીક યુવાનને ઉભો રાખી અમારા વિરુદ્ધ ફરિયાદ કેમ આપે છે કહી ધોકા વડે માર મારી છરીના ઘા ઝીકી દીધા હતા.

- text

આ ઘટના અંગે વાંકાનેર સીટી પોલીસે ઈનાયતભાઈ અયુબભાઇ પીપરવાડીયાની ફરિયાદને આધારે બન્ને આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text