રિલીફનગરમાં પર્યુષણ ટાણે જ વરસાદી પાણી ભરાયા, પાલિકાએ ત્વરિત પાણીનો નિકાલ કર્યો

- text


 

ત્વરિત કામગીરી બદલ પાલિકા ઉપપ્રમુખનો આભાર વ્યક્ત કરતો જૈન સમાજ

મોરબી: જૈન સમાજનો તહેવાર પર્યુષણ ચાલી રહ્યો છે. તે દરમિયાન ભારે વરસાદને કારણે રિલીફનગર પાસે પાણી ભરાઇ ગયા હતા. ત્યારે આ પાણીનો પાલિકા દ્વારા તાત્કાલિક નિકાલ કરવામાં આવતા જૈન સમાજના લોકો અને સ્થાનિક લોકોએ પાલિકા ઉપપ્રમુખનો આભાર વ્યક્ત કર્યો હતો.

મહત્વનું છે કે, પર્યુષણ પર્વ દરમિયાન ભારે વરસાદ પડતાં રિલીફનગર પાસે રસ્તા પર આસપાસ પાણી ભરાઈ ગયા હતા અને આસપાસ કીચડ પણ થઈ ગયું હતું. જેના કારણે જૈન સમાજના લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે તેમ હતો. પરંતુ આ અંગેની જાણ પાલિકાના થતાં પાલિકાની ટીમ દ્વારા પાણીનો તાત્કાલિક નિકાલ કરવામાં આવ્યો હતો. જેથી જૈન સમાજના લોકો અને સ્થાનિક લોકોએ પાલિકાના ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજાનો આભાર વ્યક્ત કર્યો હતો.

- text

- text