મોરબીમા માનસરોવર દર્શનની ઝાંખી

- text


મંગલેશ્વર મહાદેવ મંદિર ખાતે અમાસ સુધીમાનસરોવરના દર્શન ખુલ્લા મૂકાયા

મોરબી : મોરબીના રણછોડનગર, લાયન્સનગર, અમૃત પાર્ક સામે આવેલા શ્રી મંગલેશ્વર મહાદેવ મંદિરે અમાસ સુધી માનસરોવરના દર્શન ખુલ્લા મૂકવામાં આવ્યા છે. મોરબીમાં સૌ પ્રથમ વખત માનસરોવરના દર્શન ખુલ્લા મૂકવામાં આવ્યા હોવાથી સૌ ભક્તજનોને આ દર્શનનો લાભ લેવા જણાવાયું છે.

- text

મૂળ ધ્રાંગધ્રાના અને હાલ મોરબી રહેતા સેવાભાવી યુવાન ચિરાગ મહેશચંદ્ર રાવલ દ્વારા ભાવિક ભક્તો માટે શ્રી મંગલેશ્વર મહાદેવ મંદિરે માનસરોવરના દર્શનની ઝાંખી કરાવવા આયોજન કરાયું છે. આ દર્શન અમાસ સુધી ખુલ્લા મૂકવામાં આવ્યા છે. આ માનસરોવરના દર્શન વધુમાં વધુ ભક્તો કરે તે માટે શ્રી મંગલેશ્વર મહાદેવ મંદિરના પૂજારી દ્વારા સૌને આમંત્રણ પાઠવાયું છે.

- text