- text
મોરબી : આજ રોજ રાજ્યમંત્રી મોરબીના પ્રવાસે આવનાર છે. જેમાં વિવિધ કાર્યક્રમમાં હાજરી આપશે.
આજરોજ મંગળવારે રાજ્યમંત્રી બ્રિજેશ મેરજા મોરબીના પ્રવાસે આવનાર છે.જેમાં સવારે ૧૦:૩૦ કલાકે રાજકોટથી મોરબીના ખોખરા હનુમાનજી મંદિર જવા રવાના થશે.૧૧:૩૦ કલાકે ખોખરા હનુમાનજી મંદિર હરિહરધામ ખાતે સારસ્વત સત્સંગમાં હાજરી આપશે.
- text
ત્યારબાદ સાંજે ૬ કલાકે મોરબી ખાતે ક્રિષ્ના ઉત્સવ મેળામાં હાજરી આપશે.રાત્રે ૮ કલાકે BAPS મંદિર સામા કાંઠે વિવેકસાગર સ્વામીના ધાર્મિક પ્રવચનમાં હાજરી આપશે.કાર્યક્રમ પૂર્ણ થતાં ગાંધીનગર જવા રવાના થશે
- text