વાંકાનેર “આપ” દ્વારા ઉજવાયો સ્વતંત્રતા દિવસ 

- text


વાંકાનેર : વાંકાનેર આમ આદમી પાર્ટી દ્વારા ડો.બાબા ભીમરાવ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરી સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.તેમજ જય હિંદ, જય ભીમના નારા લગાવ્યા હતા.

આમ આદમી પાર્ટી વાંકાનેરના કાર્યકર્તાઓ દ્વારા 15 મી ઓગષ્ટ સ્વતંત્રતાનો દીવસની ઉજવણી ડો.બાબા ભીમરાવ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી, રાષ્ટ્રધ્વજ લહેરાવી,જય હિન્દ જય ભીમના નારા સાથે ઉજવવામાં આવ્યો હતો. આ આયોજનમાં વિધાનસભા સંગઠન મંત્રી આરીફ બ્લોચ, જીલ્લા ઉપપ્રમુખ તોફિક અમરેલીયા, સહ સંગઠન મંત્રી ઉષ્માનભાઈ દેકાવાડિયા, વૉર્ડ નં.1ના ઇન્ચાર્જ રમેશ ગોરીયા, રેવીનભાઈ તેમજ અન્ય કાર્યકર્તાઓએ જોડાઈને આ આઝાદીના પવન પર્વ ઉજવવામાં આવ્યો હતો.

- text

- text