ટંકારાના લજાઈ ખાતે 12 ઓગસ્ટે જિલ્લા કક્ષાનો વન મહોત્સવ યોજાશે

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપની લિંક મેળવવા માટે https://wa.me/message/SFYFCTWIGHIOK1 પર ક્લિક કરી મેસેજ સેન્ડ કરો..

ટંકારા : મોરબી જિલ્લાનો વન મહોત્સવ આગામી તારીખ 12 ઓગસ્ટના રોજ ટંકારા તાલુકાના લજાઈ ગામે યોજાનાર છે.

- text

રાજ્ય સરકારના મંત્રી અને મોરબી માળિયાના ધારાસભ્ય બ્રિજેશ મેરજાના અધ્યક્ષ સ્થાને આગામી તારીખ 12 ઓગસ્ટને શુક્રવારના રોજ સવારે 9 કલાકે ટંકારા તાલુકાના લજાઈ ગામે માનવ મંદિર ખાતે મોરબી જિલ્લાના 73મા વન મહોત્સવની ઉજવણીનો કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે સુરેન્દ્રનગરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી ડો. મહેન્દ્રભાઈ મુંજપરા, સાંસદ મોહનભાઈ કુંડારીયા, વિનોદભાઈ ચાવડા, પુનમબેન માડમ, મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ સિહોરા ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત ધારાસભ્ય મહમદ જાવેદ પીરજાદા, લલિતભાઈ કગથરા, પરસોત્તમભાઈ સાબરીયા, વરિષ્ઠ વન અધિકારી આર.આર.ચૌધરી, નાયબ વન સંરક્ષક વિશેષ હાજરી આપશે.

- text