ટંકારાના હરબટીયાળી ગામે કૃષક ભારતી દ્વારા સહકારી પરિષદ યોજાઇ

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપની લિંક મેળવવા માટે https://wa.me/message/SFYFCTWIGHIOK1 પર ક્લિક કરી મેસેજ સેન્ડ કરો..

સ્વ વિઠ્ઠલભાઈ રાદડિયા મેડિકલ સહાય યોજનાના લાભાર્થીઓને ચેકનું વિતરણ કરાયું

ટંકારા : ટંકારા તાલુકાના હરબટીયાળી ગામે કૃષક ભારતી દ્વારા સહકારી પરિષદનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં સહકારી અગ્રણી મગનભાઈ વડાવિયા, કૃષક ભારતીનાં જનરલ મેનેજર ડો.જી.વી.કાછડિયા, રાજકોટ જિલ્લા સહકારી બેંકનાં જનરલ મેનેજર સખીયાં, વીડજા, મોરબી માર્કેટિંગ યાર્ડનાં ભવાનભાઈ ભાગિયા, ડો.રૂપાપરા, ડો.વસાવા સહિત મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.

સહકારી પરિષદમાં મહાનુભાવો દ્વારા સમય સાથે તાલ મિલાવી આધુનિક ટેકનોલોજી અને વૈજ્ઞાનિક અભિગમ સાથે ગૌ આધારિત સજીવ ખેતી સાથે પૂરક વ્યવસાય તરીકે પશુપાલન થકી સારી આવક મેળવવા અનુરોધ કરાયો હતો.

મહાનુભાવો દ્વારા હરબટીયાળી સહકારી મંડળીનાં સંચાલકો અને સભાસદોની કામગીરીની પ્રસંશા કરવામાં આવી હતી. આ સાથે ખાસ કરીને મહિલા સદસ્યો દ્વારા ખેતી સાથે પશુપાલન થકી નોંધપાત્ર આવક મેળવવા બદલ મહિલા સશક્તિકરણ અંગે અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

આ તકે કૃષક ભારતીનાં ડો.કાછડીયા એ પોતાના પ્રસંગોચિત પ્રવચનમાં રાસાયણિક ખાતરનાં વધારે પડતાં ઉપયોગ સામે કુદરતી સેન્દ્રીય ખાતર વાપરવા અનુરોધ કરતા તેના અનેકવિધ ફાયદા હોવાનું જણાવ્યું હતું તેમજ કૃષક ભારતી દ્વારા ખેડૂતો માટેની વિવિધલક્ષી કામગીરીની માહિતી આપવામાં આવી હતી. કૃષિ વૈજ્ઞાનિક ડો.દિલીપભાઈ સરડવા એ કપાસમાં મિલિભગત સામે સાવચેતીનાં ભાગરૂપે જરૂરી કાળજી લેવા તેમજ માવજત અંગે હિમાયત કરી હતી.

- text

આ તકે મહાનુભાવો દ્વારા સ્વ.વિઠલભાઈ રાદડીયા મેડિકલ સહાય યોજના અંતર્ગત લાભાર્થીઓને ચેક વિતરણ કરવામાં આવ્યા હતા તેમજ આઝાદીનાં અમૃતવર્ષ ઉપક્રમે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ઘરે ઘરે તિરંગા લહેરાવવા અનુરોધ કરવામાં આવ્યો હતો.

- text