રાજકોટ જેલમાંથી જામીન ઉપર છૂટ્યા બાદ ફરાર થયેલ આરોપી મોરબીથી પકડાયો

- text


મોરબી : મોરબી પેરોલ ફર્લો સ્કવોડ/એલ.સી.બી.એ આજે બાતમીના આધારે રાજકોટ મધ્યસ્થ જેલમાંથી છેલ્લા ચારેક માસથી વચગાળાના જામીન ઉપરથી ફરાર થયેલ આરોપીને પકડી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્કવોડને પેટ્રોલીંગમાં દરમ્યાન મળેલીખાનગી હકીકત આધારે, રાજકોટ રેલ્વેના ગુનામાં કાચા કામનો આરોપી અનીલભાઇ વનુભાઇ માલણીયાત ઉ.વ. ૨૫ રહે. હાલ મોરબી લીલાપર રોડ ચાર માળીયા કવાટરમાં તા.જી.મોરબી મુળ ગામ શાપર (જેતપર) તા.જી.મોરબી વાળો રાજકોટ મધ્યસ્થ જેલમાં કાચા કામના આરોપી તરીકે હોય જે આરોપીને જેલ ખાતેથી જાત જામીન પર તા.૧૯/૦૧/૨૦૨૨ થી તા.૨૦/૦૩/૨૦૨૨ સુધી મુકત કરવામાં આવેલ હોય જે કાચા કામના આરોપીને તા.૨૧/૦૩/૨૦૨૨ ના રોજ મધ્યસ્થ જેલ રાજકોટ ખાતે હાજર થવાનુ હોય પરંતુ આરોપી વચગાળાના જામીન પરથી પરત હાજર થયેલ ન હોય અને ફરાર થઇ ગયેલ હોય જે કેદી મોરબી લીલાપર રોડ ચાર માળીયા કવાર્ટર ખાતેથી આજે ઝડપી લીધો હતો.

- text

- text