ઝેરી દવા પી લેનાર માટેલની પરિણીતાનું સારવાર દરમિયાન મૃત્યુ

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના માટેલ ગામે રહેતી પરિણીતાએ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધા બાદ સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયેલ જ્યાં સારવાર દરમિયાન તા.29 જુલાઈના રોજ દમ તોડી દેતા વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના માટેલ ગામે રહેતા જાનીબેન પ્રવીણભાઇ વિંઝવાડીયા ઉ.22 નામના પરિણીતાએ કોઈ કારણોસર તા.25 જુલાઈના રોજ ઝેરી દવા પી લેતા સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ચાલુ સારવાર દરમિયાન તા.29 જુલાઈના રોજ મૃત્યુ નીપજ્યું હતું. નોંધનીય છે કે મૃતકના બે વર્ષ પૂર્વે જ લગ્ન થયા હોય આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી છે અને વધુ તપાસ નાયબ પોલીસ અધિક્ષક અતુલ કુમાર બંસલ ચલાવી રહ્યા છે.

- text