પાનેલી ગામે સરમરિયા દાદા મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે

- text


સંતવાણી કાર્યક્રમ અને શોભાયાત્રાનું પણ આયોજન કરાયું

મોરબી : મોરબી તાલુકાના પાનેલી ગામે સરમરિયા દાદા નવ નિર્મિત મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને સંતવાણીનું આયોજન આગામી તા.1ઓગષ્ટના રોજ યોજાશે.

સરમરિયા દાદા નવ નિર્મિત મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત તા.31ના રોજ સવારે શોભાયાત્રા અને રાત્રે 9.30 કલાકે સંતવાણી આગામી યોજાશે જેમાં રામદાસ ગોંડલિયા અને સોનલબેન ઠાકોર અને રાસ ગરબામાં ભાવેશભાઈ ભરવાડ રમઝટ બોલાવશે .જયારે આગામી તા.૧/૮ ના રોજ સવારે ૯:૧૫ કલાકે મહાયજ્ઞ,બપોરે શુભ ચોઘડિયે ઈંડુ સ્થાપના, ધ્વજારોહણ અને મહાઆરતી કરવામાં આવશે.તેમજ બપોરે ૧૧:૩૦ કલાકે મહાપ્રસાદ યોજવામાં આવશે.લોકોને સમસ્ત પાનેલી ગામ દ્વારા ધાર્મિક કાર્યક્રમમાં સહભાગી બનવા આમંત્રણ આપવામાં આવ્યું છે.

- text

- text