અગ્રણી દ્વારા ટીબી દર્દીઓને પોષણ યુક્ત આહાર માટે દત્તક લેવાયા

- text


મોરબીઃ કોમ્યુનિટી સપોર્ટ ટુ ટીબી પેશન્ટ અંતર્ગત મોરબીના જિલ્લા ક્ષય કેન્દ્ર હેઠળના ટી.યું. માળીયાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સરવડના 5 ટીબી દર્દીઓને પોષણ યુક્ત આહાર માટે ૬ માસ સુધી અનિલ નાનજીભાઈ સુરાણી દ્વારા દતક લેવામાં આવ્યા છે.

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વર્ષ-૨૦૨૫ સુધીના ભારત દેશને ટીબી મુક્ત કરવાના આહ્વાનને વેગ મળે અને મોરબી જિલ્લો નીતિ આયોગમાં આકાંક્ષી જિલ્લો હોય અને ટીબી મુક્ત થાય તે માટે પોતાની યથાશક્તિ મુજબ ટીબીના દર્દીઓને દતક લઈ દર્દીઓને ન્યુટ્રીશયન સપોર્ટ કરવા માટે મોરબી જિલ્લાના પ્રજાજનો, વિવિધ સેવાભાવી સંસ્થાઓ, તેમજ રાજકીય આગેવાનોને આગળ આવવા જિલ્લા ક્ષય અધિકારી ડો. એન.એન.ઝાલા દ્વારા અપીલ કરવામાં આવી છે. પ્રધાનમંત્રીના ”ટીબી હારશે દેશ જીતશે”ના સૂત્રને સાર્થક કરવા આગેકુચ કરીને આ પ્રસંગે અનિલ નાનજીભાઈ સુરાણી દ્વારા માળીયા તાલુકાના સરવડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના 5 ટીબીના દર્દીઓને પોષણયુક્ત આહાર મળી રહે તે માટે સરકારની ગાઈડ લાઈન પ્રમાણે 6 મહિનાની પ્રોટીન યુક્ત આહાર માટેની કીટ આપવામાં આવી હતી.

- text

- text