મોરબીના યુવા આગેવાન શહીદ પરિવારોને સહાય આપવા ફરી પંજાબ જશે

- text


 

પંજાબના 3 શહીદ પરિવારોને રૂબરૂ જઈ 1- 1 લાખની સહાય અર્પણ કરશે

મોરબી : મોરબીના યુવા આગેવાન અને જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન તેમજ સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશનના ચેરમેન અજય લોરીયા આવતી કાલ તા. 13 ના રોજ શહીદ પરિવારોને સહાય અર્પણ કરવા પંજાબ જશે

- text

દેશમાં માં ભોમની રક્ષા કરતા શહીદ થયેલા જસવિંદર સિંધ -કપૂરથલા ,મનદીપ સિંધ – બટલા(ગુરદાસપુર),ગજન સિંધ – આનંદપુર સાઇબ ના પરિવારજનોને રૂબરૂ મળી એક એક લાખની સહાય અર્પણ કરશે

ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી અજય લોરીયા દ્વારા દેશના જુદા જુદા 19 રાજ્યોનો પ્રવાસ કરી શહીદ થયેલા 65 થી વધુ યુવાનોના પરિવારજનોને રૂબરૂ જઇ 1.10 કરોડની સહાય અર્પણ કરી હતી.

 

- text