મોરબી : ઉમા ટાઉનશિપમાં કષ્ટભંજન હનુમાનજીનો ત્રિ-દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે

- text


મોરબી : મોરબીમાં આવતીકાલે રવિવારના રોજ ઉમા ટાઉનશીપ મોરબી-2 મુકામે ઉમાપતિ મહાદેવ તેમજ કષ્ટભંજનદેવ હનુમાન મહારાજનો ત્રિ-દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવામાં આવ્યો છે.

તા.10ને રવિવારના રોજ સમાપનના દિવસે સાંજે 4:15 કલાકે યજ્ઞ બીડું હોમાંશે અને સાંજે 6:30 કલાકે મહાપ્રસાદનું આયોજન છે.કોરોના કાળના સમય બાદ યજ્ઞ-યજ્ઞાદિ તેમજ અન્ય ધાર્મિક કાર્યો પણ થશે.

યજ્ઞ-નારાયણના દર્શન કરવા પધારવા તેમજ આ નિમિત્તે સાંજે 6.00 કલાકે આયોજીત મહાપ્રસાદ ગ્રહણ કરવા હેતુ પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા તથા મંદિર નિર્માણના દાતાઓ ગોપાલભાઈ સરડવા પરિવાર તેમજ મોહનભાઈ ઘોડાસરા પરિવાર તરફથી લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે.

- text

- text