કાંતિભાઈ અમૃતિયાના નિવાસ સ્થાને વધુ એક ઘડિયા લગ્ન યોજાયા 

- text


મોરબી : મોરબી પાટીદાર સમાજની ઘડિયા લગ્નની પ્રેરણાદાયી પહેલ અંતર્ગત ગઈકાલે મોરબી-માળિયાના પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાના નિવાસ સ્થાને પાટીદાર સમાજના નવયુગલે પ્રભુતામાં પગલાં પાડયા હતા.

મોરબીથી શરૂ થયેલ ઘડિયા લગ્નની પરંપરા યથાવત રાખવા મોરબી-માળિયાના પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાના નિવાસ સ્થાને સામાજિક સમરસતાના સંદેશ સાથે ઘડિયા લગ્ન માટે કાયમી મંડપ રોપવામાં આવ્યો છે જેમાં ગઈકાલે પાટીદાર સમાજના યુવક યુવતીઓના ઘડિયા લગ્ન યોજાયા હતા. જેમાં ચિ.ક્રિષ્નાબેન ભુપતભાઇ રામજીભાઈ પરમાર શુભલગ્ન ચિ. પ્રિન્સ અંબારામ પોપટ ભાઈ સવસાની સાથે યોજાયા હતા.

- text

આ પ્રસંગે ટંકારા તાલુકા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ ભાવનાબેન અરવિંદભાઈ કૈલા, ટંકારા તાલુકા ભાજપ મહિલા મોરચાના સભ્ય કવિતાબેન દવે, મોરબી જિલ્લા ભાજપ પુર્વ મંત્રી ભાણજીભાઈ તેજાભાઈ વરસડા, મોરબી શહેર ભાજપ સોશિયલ મીડિયા સેલના કન્વીનર ભરત એલ બારોટ તેમજ અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં અને નવયુગલને નમો ઘડિયાળ આપી આશિર્વાદ આપ્યા હતા.

- text