મોરબી જલારામ મંદિરમાં નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પમાં ૧૯૮ દર્દીઓએ લાભ લીધો

- text


પૂર્વ ધારાસભ્ય સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં

મોરબી : મોરબીના જલારામ મંદિરમાં સ્વજનના પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો હતો.જેમાં પૂર્વ ધારાસભ્ય,રઘુવંશી અગ્રણી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.આ કેમ્પમાં ૧૯૮ દર્દીઓએ લાભ લીધો હતો.

મોરબી જલારામ મંદિર ખાતે સ્વ.હસમુખલાલ વલ્લભદાસ ભોજાણી (આમરણ વાળા)પરિવારના સહયોગથી આયોજીત વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પમાં ૧૯૮ દર્દીઓએ લાભ લીધો હતો.આ કેમ્પમાં પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, રઘુવંશી અગ્રણી દીપકભાઈ ભોજાણી, હર્ષદભાઈ પંડિત સહીતના અગ્રણીઓની ઉપસ્થિતિમા નેત્રમણી કેમ્પ યોજાયો હતો.અત્યાર સુધીના ૧૧ કેમ્પમા કુલ ૩૬૮૮ લોકોએ લાભ લીધો છે.

રણછોડદાસ બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ,જલારામ પ્રાર્થના મંદિર-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહીનાની ૪થી તારીખે શહેરના જલારામ પ્રાર્થના મંદિર, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે યોજાયો હતો. જેમા ૧૯૮ દર્દીઓએ કેમ્પનો લાભ લીધો હતો.તે ઉપરાંત ૯૭ લોકોના નિ:શુલ્ક નેત્રમણી ઓપરેશન કરવામા આવ્યા હતા.

રણછોડદાસ બાપુ ચેરીટેબલ હોસ્પીટલના ડો.બળવંતભાઈ,ડો. અલ્કેશભાઈ ખેરડીયા, હેમુભાઈ પરમાર, આદમભાઈ,નિલેશભાઈ રાઠોડ દ્વારા આંખના દર્દીઓની તપાસ કરવામા આવી હતી તેમજ અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનુ સારામા સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્રમણી) સાથે વિનામુલ્યે ઓપરેશન કરવામા આવ્યા હતા.ઓપરેશન માટે રાજકોટ જવા-આવવાની વ્યવસ્થા તથા રહેવા, જમવા, ચા-પાણી, નાસ્તો, ચશ્મા, ટીપા વગેરે સુવિધા વિનામુલ્યે સંસ્થા દ્વારા વ્યવસ્થા કરવામા આવી રહી છે.પ્રવર્તમાન માસનો કેમ્પ સ્વ. હસમુખલાલ વલ્લભદાસ ભોજાણી (આમરણ વાળા) પરિવારના સહયોગથી યોજવામા આવેલ હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી જલારામ મંદિર ખાતે ગત ૧૦ માસ દરમિયાન યોજાયેલ નેત્રમણી કેમ્પમા કુલ ૩૪૯૦ લોકોએ લાભ લીધેલ છે તેમજ કુલ ૧૫૫૭ લોકોના વિનામુલ્યે સફળ નેત્રમણી ઓપરેશન કરવામા આવેલ છે.ત્યારે પ્રવર્તમાન માસે યોજાયેલ કેમ્પમા કુલ ૧૯૮ લોકોએ લાભ લીધો હતો.તેમજ ૯૭ લોકોના વિનામુલ્યે નેત્રમણી ઓપરેશન કરવામા આવ્યા.

- text

કેમ્પને સફળ બનાવવા ગીરીશભાઈ ઘેલાણી, ભાવીનભાઈ ઘેલાણી,અનિલભાઈ સોમૈયા, જયેશભાઈ કંસારા, ચિરાગ રાચ્છ,અમિત પોપટ, જયંતભાઈ રાઘુરા, સંજય હીરાણી, હીતેશ જાની, કીશોરભાઈ ઘેલાણી, ફીરોઝભાઈ તથાજલારામ સેવા મંડળ,જલારામ મંદિર મહીલા મંડળ,આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના આગેવાનોએ જહેમત ઉઠાવી હતી. કેમ્પનો લાભ લેવા માટે એડવાન્સ બુકીંગની કોઈ આવશ્યતા નથી. કેમ્પમા તપાસ માટે દર્દીનુ આધાર કાર્ડ સાથે રાખવુ અનિવાર્ય છે.

વધુ માહીતી માટે ગીરીશભાઈ ઘેલાણી મો.૯૮૨૫૦૮૨૪૬૮, હરીશભાઈ રાજા મો.૯૮૭૯૨૧૮૪૧૫,નિર્મિતભાઈ કક્કડ મો.૯૯૯૮૮૮૦૫૮૮, અનિલભાઈ સોમૈયા મો.૮૫૧૧૦૬૦૦૬૬ પર સંપર્ક કરવા સંસ્થાએ યાદીમા જણાવ્યુ છે.

- text