- text
હળવદ : હળવદ વેપારી મહામંડળ તથા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ઉદયપુરના દરજી વેપારી કનૈયાલાલના પરિવારને ન્યાય અપાવવા અને આ આઘટનાના વિરોધમાં આજે સાંજે મૌન બાઇક રેલીનું આયોજન કરાયું છે.
ઉદયપુર શહેરની ઘટનાને લઈને સમગ્ર દેશના લોકો આક્રોશની લાગણી વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે દરજી વેપારી કનૈયાલાલના પરિવારને ન્યાય અપાવવા તથા આક્રોશ વ્યક્ત કરવા હળવદ વેપારી મહામંડળ તથા ચેમ્બર ઓફ કોમર્સના વેપારીઓ આજે સાંજે મૌન બાઇક રેલી યોજશે. આ મૌન બાઇક રેલી આજે સાંજે 4:00 કલાકે લક્ષ્મીનારાયણ ચોકથી મામલતદાર કચેરી સુધી યોજાશે. જેમાં તમામ વેપારીઓને પોતપોતાના બાઈક સાથે સમયસર ઉપસ્થિત રહેવા વેપારી મહામંડળ તથા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા જણાવાયું છે.
- text
- text