મોરબીમાં રથયાત્રા અને ઈદના તહેવારને પગલે શાંતિ સમિતિ મીટીંગ યોજાઇ

- text


મોરબી : આગામી દિવસોમાં અષાઢી બીજની રથયાત્રા અને ઈદનો પર્વ આવી રહ્યો હોય શાંતિપૂર્ણ વાતાવરણમાં કોમી એખલાસ પૂર્વક તહેવારોની ઉજવણી થાય તે હેતુથી વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન તેમજ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની મીટીંગ મળી હતી.

આગામી તા.1જુલાઈના રોજ હિન્દુસમાજના અષાઢી બીજના તહેવાર નિમિતે શોભાયાત્રા,રથયાત્રાના આયોજન ઉપરાંત તા.10 જુલાઈના રોજ મુસ્લિમ બિરાદરોનો ઈદનો પર્વ હોવાથી શાંતિપૂર્વક કોમી એખલાસ ભર્યા વાતાવરણમાં તહેવારો ઉજવાય તે માટે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન તેમજ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હિન્દૂ મુસ્લિમ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા.

- text

- text