મોરબીમાં આવતીકાલે કોંગ્રેસ અગ્નિપથ યોજનાનો વિરોધ કરશે

- text


મોરબી : સરકાર દ્વારા જાહેર કરાયેલ અગ્નિપથ યોજનાનો કોંગ્રેસ આવતીકાલે શાંતિપૂર્વક કલેકટર કચેરી ખાતે વિરોધ કરશે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશભાઈ ઠાકોરના આદેશ અનુસાર કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા વીજળી, બેરોજગારી, મોંઘવારી અને નવ યુવાનો માટે સરકારે વિચાર્યા વગર અગ્નિપથ યોજના જાહેર કરેલ હોય જેના વિરોધમાં આવતીકાલે તા.૨૭ને સોમવારના રોજ સવારે ૧૦:૩૦ કલાકે મોરબી કલેકટર કચેરી સામે શાંતિ પૂર્વક અને અહિંસક ધરણાંનો કાર્યક્રમ રાખેલ છે.આ કાર્યક્રમમાં જિલ્લા, તાલુકા, શહેર કોંગ્રેસના હોદેદારઓ, ચૂંટાયેલ સદસ્યઓ, ઉમેદવારો તમામ સેલ, ફ્રન્ટના હોદેદારઓ,આગેવાનો,કાર્યકર ભાઈઓ અને બહેનોને મોટી સંખ્યામા ઉપસ્થિત રહેશે.

- text

- text