- text
મોરબી : માનવ સેવા એ જ પ્રભુ સેવા સંસ્થાન દ્વારા આગામી તારીખ 18 જૂનથી 21 જૂન 2022 સુધી સવારે 7 થી 8:30 કલાક દરમિયાન સરદારબાગ, સનાળા રોડ મોરબી-1 ખાતે નિ:શુલ્ક યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ યોગ શિબિરમાં 10 વર્ષથી ઉપરની ઉંમરના ભાઈઓ તથા બહેનો ભાગ લઇ શકશે.
- text
આ શિબિરમાં મોરબીના વિખ્યાત પ્રોફેશનલ યોગા ટ્રેનર ચાંદનીબેન રાઠોડ તાલીમ આપશે. તો આ શિબિરનો લાભ લેવા ઇચ્છતા લાભાર્થીઓ રજિસ્ટ્રેશન માટે બાળવિકાસ કાર્યક્રમના કોઓર્ડીનેટર આરતીબેન રત્નાણીનો મો.9408288478 પર સંપર્ક કરી શકે છે. શિબિરમાં હાજર રહેનાર લાભાર્થીઓએ પોતાના માટે બેસવાનું આસન અને પીવા માટે પાણીની બોટલ સાથે લઈને આવવાનું રહેશે.
- text