ભડીયાદ ગામે બે ફેકટરી પ્રદુષણ ફેલાવતી હોવાની રાવ, જીપીસીબીએ હાથ ધરી તપાસ

- text


મોરબી : ભડિયાદ ગામે બે ફેકટરી દ્વારા પ્રદુષણ ફેલાવવામાં આવતું હોવાની સ્થાનિકોએ પ્રદુષણ નિયંત્રણ વિભાગ સહિત લગત તંત્રને રાવ કરી હતી. જેને પગલે સ્થાનિક જીપીસીબીએ તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે.

- text

મોરબી તાલુકા પંચાયતના સભ્ય દિપકભાઈ કાવજીભાઈ મોડીયાએ ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડને રજુઆતમાં જણાવ્યું હતું કે ભડિયાદ ગામે બે ફેકટરી દ્વારા ધુમાડો અને ડસ્ટનું પ્રદૂષણ ફેલાવવામાં આવી રહ્યું છે. અહીં રહેણાંક વિસ્તાર હોય લોકોના આરોગ્ય ઉપર અસર પહોંચી રહી છે. આ રજુઆતને ધ્યાને લઈને સ્થાનિક જીપીસીબી વિભાગ હરકતમાં આવ્યુ છે. આ અંગે જીપીસીબીના અધિકારી કે.બી. વાઘેલાએ જણાવ્યું હતું કે ફરિયાદ મળતા તપાસ શરૂ કરી છે. તેનો રિપોર્ટ આવ્યે કાર્યવાહી કરાશે.

- text