વાંકાનેર તાલુકામાંથી 3 દિવસ પૂર્વે લાપતા બનેલા 5 વર્ષના બાળકનો મૃતદેહ મળ્યો

- text


 

ટીંબડી નજીક કોલસાના ઢગલામાંથી મળ્યો મૃતદેહ : પોલીસ તપાસ

વાંકાનેર : વાંકાનેરના રાતાવીરડા નજીક ફેક્ટરીમાંથી ત્રણ દિવસ ગુમ થયેલા 5 વર્ષના બાળકનો મૃતદેહ મળી આવ્યો છે. આ ઘટનાથી પુત્રની રાહમાં રહેલા પરિવાર ઉપર આભ ફાટી પડ્યું છે. બીજી તરફ પોલીસે પણ તપાસ ચલાવી છે.

સતાવાર સુત્રોમાંથી મળતી વિગત અનુસાર વાંકાનેર તાલુકાના રાતાવીરડા નજીક ફેકટરીમાંથી રિતિક ઉર્ફે નૈતિક પવનભાઈ સિંગવાલ નામનો 5 વર્ષનો બાળક ત્રણ દિવસ પહેલા લાપતા બન્યો હતો. આ બાળક ગુમ થયા અંગે તેમના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

- text

આ ફરિયાદને પગલે વાંકાનેર સીપીઆઈબી ટીમે તપાસ ચલાવી હતી. જે અંગે પોલીસે ગુમસુદા બાળક અંગે જાહેરાત પણ પ્રસિદ્ધ કરાવી હતી. બાદમાં આજે જ આ બાળકનો મૃતદેહ ટીંબડી નજીક આવેલા કોલસાના ઢગલામાંથી મળ્યો છે.

હાલ પોલીસ કાફકો ઘટના સ્થળે પહોંચ્યો છે.  પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ ચલાવવામાં આવી રહ્યો છે.

- text