મોરબીમાં ઉમિયા માનવ ટ્રસ્ટ આયોજીત સંસાર રામાયણ કથાનું સમાપન

- text


કથાના અંતિમ દિવસે પંચાયત મંત્રી,પૂર્વ મંત્રી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા

મોરબી : મોરબીમાં નિરાધાર લોકો માટે માનવ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે.જેના લાભાર્થે સંસાર રામાયણ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું.જે ગઈકાલે તા.31ના રોજ સમાપ્ત થઈ હતી. કથાના અંતિમ દિવસે અગ્રણીઓ અને આગેવાનોએ હાજરી આપી હતી.તેમજ અનેક લોકોએ

મોરબી જિલ્લામાં પાટીદાર પરીવારમાં અશક્ત અને નિરાધાર 246 જેટલા વ્યક્તિઓ છે.જેમના જીવન નિર્વાહ માટે ઉમિયા માનવ સેવા ટ્રસ્ટ દ્વારા લજાઈ પાસે ભીમનાથ મહાદેવની બાજુમાં 40 વિઘા જમીનમાં 80 રૂમ ધરાવતું અને 200 નિરાધાર લોકોનો સમાવેશ થઈ શકે એવું એ.સી.જેવી અદ્યતન સુવિધા ધરાવતું બાર કરોડની માતબર રકમના બજેટવાળું માનવ મંદિરનું બાંધકામ પૂર્ણ થવાના આરે છે. ત્યારે માનવ મંદિરના લાભાર્થે યોજાયેલી સંસાર રામાયણ કથા દરમ્યાન માનવતાના આ મહાયજ્ઞમાં આર્થિક યોગદાન આપનાર 150 જેટલા પાટીદાર દાતાઓનું વિશિષ્ટ રીતે બનાવેલ ઉમિયાજીની મૂર્તિ દ્વારા પાટીદાર શ્રેષ્ઠી, પાટીદાર ભામશા, પાટીદાર કર્ણ અને પાટીદાર ભગીરથ તેમજ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન, ઉમિયાધામ ઉંઝા અને સિદસરના હોદેદારો દ્વારા અને 350 જેટલા દાતાઓનું સન્માન સતશ્રીના હસ્તે ખેસ પહેરાવી કરાયું હતું.

સંસાર રામાયણ જ્ઞાનયજ્ઞમાં શિવ વિવાહ, રામ જન્મોત્સવ,શ્રવણ યાત્રા, સીતારામ વિવાહ, કેવટ પ્રસંગ,ભરત મિલાપ,શબરી પ્રસંગ, રામેશ્વર પૂજન, રામ રાજ્યાભિષેક વગેરે પ્રસંગો ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવ્યા હતા.સમસ્ત મોરબી પંથકના લોકોએ દરરોજ હજારોની સંખ્યામાં કથા સ્થળે પધારી કથા શ્રવણનો લાભ લીધો હતો. લાખો લોકોએ મોરબી સોસીયલ મીડિયાની જુદી જુદી એપ, કથા ચેનલ, યૂટ્યૂબના માધ્યમથી કથા શ્રવણનો લાભ લાખો લોકોએ લીધો હતો.

આ ઉપરાંત કથા દરમ્યાન અનેક લોકોએ વ્યસન છોડવાનો સંકલ્પ કર્યો હતો. તથા નાની નાની દિકરીઓએ મોબાઈલના વળગણને તિલાંજલિ આપી હતી.

- text

- text