વાંકાનેરમાં વીએચપી બજરંગ દળમાં હોદેદારોની નિમણુંક

- text


વાંકાનેર : વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળની જિલ્લાની બેઠક મોરબીમાં મળી હતી.જેમાં વિવિધ હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી.

ગત રવિવારના રોજ મોરબી ખાતે વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળની જિલ્લા બેઠક મળી હતી.જેમાં
સૌરાષ્ટ્ર પ્રાંત સામાજિક સમરસતા પ્રમુખ રમેશભાઈ પંડ્યા, સૌરાષ્ટ્ર પ્રાંત ધર્માચાર્ય સંપર્ક પ્રમુખ પ્રવિણસિંહ કંચવા, વિહિપ મોરબી જિલ્લા સંત સંયોજક નિરંજન દાસ મહારાજ, વિહિપ જિલ્લા પ્રમુખ મહેન્દ્રભાઈ સવસાણી, વિહિપ જિલ્લા મંત્રી કમલભાઈ દવેની હાજરીમાં મોરબી જિલ્લા સહિત વાંકાનેરના હોદેદારોની નિમણુંક કરવામાં આવી હતી.

- text

જેમાં વાંકાનેર શહેરના વીએચપી પ્રમુખ તરીકે ઘનશ્યામભાઈ ચૌહાણ, વીએચપી ઉપપ્રમુખ તરીકે મયુરભાઈ જાદવ, તથા અનિલભાઈ કુણપર તેમજ બજરંગ દળના સંયોજક તરીકે દીપકભાઈ રાજગોર અને બજરંગ દળ સહસંયોજક તરીકે મેહુલભાઈ પનારાની નિમણુંક કરવામાં આવી હતી.

- text