- text
આવતીકાલે થાંભલીના વધામણા
વાંકાનેર : વાંકાનેરના વીશીપરા સ્મશાન રોડના સમસ્ત લતાવાસીઓ દ્વારા આજે મેલડી માતાજીનો નવરંગો માંડવો યોજાયો હતો. જેમાં સવારે થાંભલી રોપણ, ત્યારબાદ ફુલેકુ, સાંજે મહાપ્રસાદ અને આવતીકાલ તારીખ 23ના રોજ સવારે થાંભલીના વધામણા કરવામાં આવશે.
- text
આ અવસરે રાવળદેવ નારણભાઈ સુરેન્દ્રનગર વાળા માતાજીના ગુણગાન ગાશે અને ભુવા માતાજીને રીઝવશે. આ મેલડી માતાજીનો નવરંગો માંડવો નિહાળવા સર્વે માઈભક્તોને આયોજકો દ્વારા અનુરોધ કરાયો છે.
- text