હળવદ દુર્ઘટનામાં માતા, બે પુત્રી અને પૌત્રી ઈજાગ્રસ્ત દીકરાના સહારે

- text


કચ્છ વાગડના સોમાણી પરિવાર દીવાલ દુર્ઘટનામાં બેસહારા બની ગયો

હળવદ : હળવદની ગોજારી દુર્ઘટનામાં એક સાથે 12-12 હતભાગી શ્રમિકોના મૃત્યુ નિપજવાની ઘટનામાં એક પરિવારના છ સભ્યો ગુમાવનાર રમેશભાઈ સોમાણીના પરિવારમાં હવે રમેશભાઈના પત્ની, બે પુત્રી, પૌત્રી અને ઈજાગ્રસ્ત સંજયભાઈ જ બચ્યા છે.કરુણતા તો એ છે કે આ ઘટનામાં જીવ ગુમાવનાર રમેશભાઈના પુત્રની એક દીકરીઓએ માતા અને પિતાની છત્રછાયા ગુમાવતા હવે દાદી અને કાકાનો સહારો જ રહ્યો છે.

હળવદ દુર્ઘટનામાં ગઈકાલે કચ્છના વાગડના સોમાણી વાંઢના વતની એવા રમેશભાઈ મેઘાભાઈ કોળીનો પરિવાર હતો ન હતો થઈ ગયો છે, રમેશભાઈ અને તેમના જુવાનજોધ પુત્ર, પુત્રવધુ, દીકરી,પૌત્રી સહિતના છ-છ લોકોના આ ગોજારી દુર્ઘટનામાં મૃત્યુ નિપજ્યાં બાદ હવે આ પરિવારમાં રમેશભાઈના પત્ની શારદાબેન, દીકરી હિરલ,જાનકી,સોનલ અને મૃતક પુત્ર દિલીપભાઈની એક પુત્રી બચવા પામી છે અને નાનો પુત્ર આ દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત બનતા હાલમાં અમદાવાદ ખાતે સારવારમાં છે.

- text

- text