મોરબીના જલારામ મંદિરના સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી લગ્નની વર્ષગાંઠ ઉજવતા અગ્રણી

- text


મોરબી : મોરબીમાં ક્રિષ્ના પેટ્રોલીયમ તથા એસ્સાર પેટ્રોલપંપ વાળા મંગળજીભાઈ નાથાભાઈ સુવાગીયાએ પોતાના લગ્નની ૩૬મી વર્ષગાંઠ નિમિતે મોરબી જલારામ મંદિર ખાતે ચાલતા સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી વર્ષગાંઠની ઉજવણી કરી હતી.

વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે બપોરે તથા સાંજે લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો અનોખો સેવાયજ્ઞ ચાલી રહ્યો છે ત્યારે મોરબી ત્રાજપર ચોકડી સ્થિત એસ્સાર પેટ્રોલ પંપ તથા ક્રિષ્ના પેટ્રોલિયમના માલીક મંગળજીભાઈ નાથાભાઈ સુવાગીયા તથા પ્રભાબેન મંગળજીભાઈ સુવાગીયાએ પોતાના લગ્નની ૩૬મી વર્ષગાંઠ આ સદાવ્રતમા મહાપ્રસાદ યોજી ઉજવી હતી. આ તકે તેઓએ સહપરિવાર ઉપસ્થિત રહી પોતાના હસ્તે ભોજન પ્રસાદ પીરસી જલારામ બાપાના આશિર્વાદ પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે આધુનિક સમયમા સામાન્ય રીતે લોકો પોતાના જન્મદીન તેમજ લગ્નદીન સહીતના શુભ પ્રસંગો મોજશોખ વાળી વૈભવી પાર્ટીઓ દ્વારા ઉજવી નાણાકીય વ્યય કરી રહ્યા હોય છે ત્યારે મોરબીના સુવાગીયા પરિવારના મોભી દ્વારા પોતાના લગ્નની ૩૬મી વર્ષગાંઠ નિમિતે સદાવ્રતમા મહાપ્રસાદ યોજી સમાજને એક નવી રાહ દર્શાવી છે. તેમની આ પ્રેરક ઉજવણી બદલ મોરબી જલારામ મંદિરના ગીરીશભાઈ ઘેલાણી, હરીશભાઈ રાજા, ચિરાગભાઈ રાચ્છ, ભાવીનભાઈ ઘેલાણી, નિર્મિતભાઈ કક્કડ, મનિષભાઈ પટેલ, હીતેશભાઈ જાની, હસુભાઈ પંડિત સહીતના અગ્રણીઓએ અભિનંદન સહ લગ્નદીનની શુભેચ્છા પાઠવી હતી.

- text

- text