- text
મોરબી : મોરબીના મહેન્દ્રનગરમાં યુવાનની હત્યાના કેસમાં પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કર્યા બાદ તેને કોર્ટમાં રજૂ કર્યા હતા. બાદમાં આ આરોપીઓને પોલીસે જેલહવાલે કર્યા છે.
મોરબીના મહેન્દ્રનગર ગામે મિતેશ ભરતભાઇ કુબાવતને તે જ વિસ્તારમાં રહેતી સગીરા સાથે પ્રેમ સંબંધ હોય, જેની જાણ સગીરાના ઘરે થઇ જતાં સગીરાની માતા અને તેના બે મામાએ મળીને યુવાનનું અપહરણ કર્યું હતું અને તેને વાડીએ લઈ જઈને માર માર્યો હતો. ગંભીર રીતે ઇજા પામેલા મિતેશ ભરતભાઇ કુબાવતને સારવાર માટે ખસેડાયો હતો. જો કે સારવાર દરમ્યાન તેનું મોત નિપજ્યું હતું.
- text
હત્યાના આ બનાવમાં મૃતક યુવાનની માતા ગીતાબેન ભરતભાઇ કુબાવતની ફરિયાદ લઈને મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સગીરાની માતા સહિત ત્રણ સામે હત્યાની ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે સગીરાના મામા ધર્મેશભાઇ બાલુભાઇ વિડજા, પરેશભાઇ બાલુભાઇ વિડજા તથા સગીરાની માતા મીનાબેન બાલુભાઇ વિડજાની ધરપકડ કરી હતી અને આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કરવામાં આવ્યા છે.
- text