મોરબીમાં કાલે રવિવારે વિનામૂલ્યે આયુર્વેદિક-હોમિયોપેથીક નિદાન કેમ્પ યોજાશે

- text


મોરબી : જન જાગૃતિ અભિયાન તેમજ ગાયત્રી ચેતના કેન્દ્ર-મોરબી દ્વારા કાલે રવિવારે વિનામૂલ્યે આયુર્વેદિક-હોમિયોપેથીક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

જન જાગૃતિ અભિયાન તેમજ ગાયત્રી ચેતના કેન્દ્ર-મોરબી દ્વારા આયોજિત આયુર્વેદિક તેમજ હોમીયોપેથી કેમ્પ તા.8ને રવિવારના રોજ સવારે 9 થી1 ગાયત્રી ચેતના કેન્દ્ર,ગુજરાત હાઉસિંગ બોર્ડ શનાળા રોડ-મોરબી ખાતે રાખેલ છે.હવે પછીના દરેક કેમ્પ મહિનાના બીજા રવિવારે યોજાશે.કેમ્પમા લાભ લેનાર વ્યક્તિએ પોતાનો કેસ મો.6352299810 પર નોંધાવવો.

- text

- text