વાવડી-વનાળીયા રોડના સમારકામનું નિરીક્ષણ કરતા જિલ્લા પંચાયત અધ્યક્ષ

- text


તાલુકા પંચાયતના પૂર્વ સદસ્યોની રજૂઆત ફળી

મોરબી : વાવડીના પાટિયાથી વનાલિયા ગામ સુધીના રોડના રીપેરીંગ કામ માટે પૂર્વ તાલુકા પંચાયતના સદસ્યો દ્વારા જિલ્લા પંચાયતના અધ્યક્ષને રજૂઆત કરવામાં આવી હતી.રજૂઆતને ધ્યાને લઇ રોડની કામગીરી આજરોજ શરુ કરવામાં છે.જેની જિલ્લા પંચાયતના અધ્યક્ષ અને તાલુકા પંચાયતના સદસ્યો દ્વારા મુલાકાત લેવામાં આવી હતી.

વાવડીના પાટિયાથી વનાલિયા ગામ સુધીના રોડના રીપેરીંગ માટે ગત તા.28/4/2022ના રોજ પૂર્વ તાલુકા પંચાયતના સદસ્યો દ્વારા જિલ્લા પંચાયતના અધ્યક્ષ જ્યંતીભાઈ પડશુંબીયાને રોડના રીપેરીંગ કામ બાબતે અરજી કરેલ હતી.આ અરજીને તાત્કાલિક ધ્યાને લઇ આ રોડ રીપેરીંગનું કામ આજ રોજ તા.7/5/2022ના રોજ ચાલુ પણ કરાવી આપેલ છે.

- text

તેમજ જિલ્લા પંચાયતના અધ્યક્ષ જ્યંતિભાઈ પડશુંબીયા,તાલુકા પંચાયતના સભ્યો પરેશભાઈ પડશુંબીયા,ભુપતભાઇ સવસેટા,ગોકળભાઇ ચીખલીયા,વનાલિયાના સરપંચ અબુભાઈ સુમરાએ આજે રૂબરૂ મુલાકાત લઇ કામનું નિરીક્ષણ કર્યું હતું.આ કામ તાત્કાલિક કરાવા બદલ અને લોકોને રસ્તા બાબતે હાલાકી પડતી હતી તેનું ઝડપી નિરાકરણ કરવા બદલ ગોકળભાઇ ચીખલીયા અને હેમતભાઈ દેથારીયા દ્વારા જિલ્લા પંચાયતના અધ્યક્ષનો આભાર માનવામાં આવ્યો હતો.

- text