સુલતાનપુર શાળામાં ધોરણ 8ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો

- text


મોરબી: પરીક્ષાઓ પૂર્ણ થતાં હવે વિદ્યાર્થીઓ શાળામાંથી વિદાય લઈ રહ્યા છે ત્યારે તારીખ 2 મે ને સોમવારના રોજ સુલતાનપુર શાળામાં ધોરણ 8ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગમાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો હાજર રહ્યા હતા અને સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો.

વિધાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે સૂચનો અને વિદ્યાર્થીઓ ભણી ગણીને આગળ વધે અને સુલતાનપુર શાળાનું નામ રોશન કરે એવી આશાઓ રૂપી કિરણોનો પ્રકાશ પાથર્યો. ધોરણ 8ના વિદ્યાર્થીઓને તેમના સર્ટિફિકેટ સચવાઈ રહે તે માટે ફાઈલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. અને વિદ્યાર્થીઓ સાથેની વિતાવેલી ક્ષણોને ઘડી વાર યાદ કરવામાં આવી હતી. પ્રસંગ ખૂબ જ આ પ્રસંગે શાળાના શિક્ષકો મનીષસાહેબ, શૈલેશસાહેબ, પ્રવીણ સાહેબ, પ્રવિણાબેન અને ચેતનસાહેબ અને smcના અધ્યક્ષ બાબુભાઈ ઉપસ્થિત રહ્યા હતા.

- text

- text