વિહિપ અને બજરંગદળ દ્વારા યુવા શૌર્ય પ્રશિક્ષણ વર્ગનું આયોજન

- text


મોરબી : બજરંગદળ દ્વારા યુવા શૌર્ય પ્રશિક્ષણ વર્ગનું આયોજન બાઢડા જી.સાવરકુડંલા ખાતે આયોજન કરવામાં આવ્યું છે.જેમાં વિવિધ શારીરિક-બૌદ્ધિક કાર્યક્રમો યોજવામાં આવશે.યુવા શૌર્ય પ્રશિક્ષણ વર્ગમાં ભાગ લેનાર તમામે નિયમોનું પાલન કરવાનું રહેશે.

બજરંગદળ દ્વારા યુવા શૌર્ય પ્રશિક્ષણ વર્ગનું આયોજન બાઢડા જી.સાવરકુડંલા ખાતે યોજેલ છે.આ વર્ગ તા.14 મે શનિવાર થી 21 મે શનિવાર આઠ દિવસનો રહેશે.જેમાં,જુડો કરાટે,લક્ષ્ય ભેદ,લાઠી દાવ,ઓબ્સ્ટીકલ,ધર્નુવિધા(તીરંદાજી),રમતો,યોગાસન,ધ્યાન અને સુર્યનમસ્કાર,ઘોડેસવારી,યષ્ટી જેવી શારીરિક તાલીમ આપવામાં આવે છે તથા વર્તમાન સમયને ધ્યાનામાં રાખીને બૌધ્ધિક વિષયો જેવા કે-ગૌરવશાળી ભારત,ઇસ્લામીક જેહાદી આંતકવાદ, વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગદળ કાર્ય પધ્ધતિ, વિ.હિ.પ ૫ષ્ઠી પુર્તી વર્ષ, અખંડ ભારત તથા હનુમાનજીનું તથા શિવાજીનું જીવન ચરિત્ર,ગીત સ્પર્ધા-દેશભક્તિ ગીત કાર્યક્રમ અને ચર્ચાસત્ર દરમ્યાન અનેક વિષયો પર ચર્ચા કરવામાં આવશે.વર્ગમાં પ્રાંત,પ્રદેશ તથા કેન્દ્રીય પદાધિકારી દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે.

- text

તા.14 મેના રોજ શનિવારે સાંજે સુધીમાં પહોચવું,15 મે સવારથી વર્ગ શરૂ થશે.અને તા.21 મે ના રોજ શનિવાર બપોરે ભોજન બાદ પરત જઈ શકાશે.તા.15 મે સવારે કોઈને પ્રવેશ મળતો નહી, વર્ગ શરૂ થયા પછી કોઈને વર્ગ સ્થાનની બહાર જવા દેવામાં આવશે નહિ.બજરંગદળ પ્રાંત ટોળી, જીગ ટોની, પ્રખંડ ટોળી, ચા સમીતી, નગર સમીતી, મહોલ્લા ઇટ્ટાઇ, ગ્રામ્ય ઈકાઇ, વિાર્થી કાર્યકર્તા અપક્ષીત છે.જીશ ટોળી અને દરેક સંયોજક – સહ સંશોષકે વર્ગ ફરજીયાત કરવો જોઇએ.વર્ગે સ્થાનમાં આવવા માટે સૌરાષ્ટ્રના કાર્યકર્તા સાવરકુંડલા પહોંચી જશે.ત્યારબાદ વર્ગ સ્થાન સુધી પહોંચાડવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

આ વર્ગમાં આવનારે થાળી વાટકો ગ્લાસ ઓટલા પાથરવાનું નોટબુક પેન જરૂરી કપડાં દંતમંજન વગેરે સામન સાથે લઈ આવવું.બજરંગદળનો ગણવેશ વર્ગ સ્થાન પરથી મળશે. જેની ફી રૂ।. 500/ રહેશે.દોરીવાળા સફેદ બુટ બજરંગદળ બેલ્ટ અને ત્રિશૂલ સાથે લઈને આવવું, ન હોય તો ફી ભરી વર્ગમાંથી મળશે.ધર્મમાં શુલ્ક 200/- વર્ગ સ્થાન પર આપવાનું રહેશે.15 થી 35 વર્ષના યુવકોને જ પ્રવેશ અપાશે.વર્ગમાં સવારે 4:30 કલાકથી રાત્રી 10:30 સુધી વિવિધ શારીરિક-બૌદ્ધિક કાર્યક્રમોનો સત્ર રહેશે. બજરંગદળનો ગણવેશ અખીલ ભારતીય ધોરણે નકકી થયેલ હોય વર્ગમાં આવનાર તમામ કાર્યકર્તાએ ગણવેશ લેવો જરૂરી છે.

વધુ માહિતી માટે કમલભાઈ દવે 9595688888,કૃષ્પભાઈ રાઠોડ મો.9687618006,કમલેશભાઈ આહીર મો.9099010005,ઈશ્વરભાઈ કંજારીયા મો.7069312575,પુષ્પરાજસિંહ જાડેજા મો.9978117117 પર સંપર્ક કરવો.

- text