મહેન્દ્રનગરના માજી સરપંચની પુણ્યતિથિ નિમિતે સત્સંગ અને બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે

- text


મોરબી : મોરબી તાલુકાના મહેન્દ્રનગરના માજી સરપંચ સ્વ. અશ્વિનભાઈ બોપલીયાની પ્રથમ વાર્ષિક પુણ્યતીથી નિમિતે બોપલીયા પરિવાર દ્વારા શ્રદ્ધાસુમન અર્પણ કરવા સત્સંગ સંધ્યા અને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સત્સંગ સંધ્યા તા.3ને મંગળવારના રોજ રાત્રે 8 કલાકે CNG પંપ ગ્રાઉન્ડ, મહેન્દ્રનગર ખાતે અને બ્લડ ડોનેશન કેમ્પ સવારે 8:30 કલાકે યોજાશે.

માજી સરપંચ, મહેન્દ્રનગરના વરિષ્ઠ આગેવાન તેમજ સેવાકીય કાર્યોમાં પોતાનું સંપૂર્ણ જીવન કાર્યો કરીને પ્રજાના હૃદયમાં સ્થાન મેળવનાર સ્વર્ગસ્થ અશ્વિનભાઈ બોપલિયાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે બોપલિયા પરિવાર તેમજ મહેન્દ્રનગરના યુવાનો દ્વારા સત્સંગ સંધ્યાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં કનકેશ્વરીદેવી તથા સંતોની હાજરીમાં લોકપ્રિય ભજનિક શૈલેષ મહારાજ, વિવેક સંચલા તેમજ યુવા સાહિત્યકાર રવીન્દ્ર સોલંકી શ્રદ્ધાસુમન અર્પણ કરશે. સાથોસાથ બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

- text

બ્લડ ડોનેશન કેમ્પ તા.03.05.2022 સવારે 8:30 કલાકથી યોજાશે. જેના માટે રાજેશભાઈ ગોધવીયાના મો. 93782 11111 પર સંપર્ક કરી શકાશે. સત્સંગ તથા સંતવાણી તા. 03.05.2022 રાતે 8:00 કલાકે યોજાશે. બંને કાર્યક્રમ CNG પંપ ગ્રાઉન્ડ, મહેન્દ્રનગર ચોકડી, મહેન્દ્રનગર મુકામે રાખેલ છે. આ કાર્યક્રમમાં મહેન્દ્રનગર, પીપળી તેમજ આસપાસના તમામ નાગરિકોને જાહેર આમંત્રણ છે.

વધુ માહિતી માટે વિશાલ અશ્વિનભાઈ બોપલીયા મો.90166 30458 પર સંપર્ક કરવો.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text