મોરબીમાં આજે રોકડીયા હનુમાન મંદિરે તિથી મહોત્સવ

- text


અતિથિ તરીકે ભાજપ અગ્રણીઓની ઉપસ્થિતિ

મોરબી : મોરબીમાં આજરોજ રોકડીયા હનુમાનની તિથી મહોત્સવ અને મારુતિયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં મોરબી ભાજપ અને મોરબીના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

મોરબીમાં આજરોજ રોકડીયા હનુમાનની તિથી મહોત્સવ અને મારુતિયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.મારુતિયજ્ઞ સવારે 7 કલાકે યોજાઈ ગયો.તેમજ સાંજે 6 કલાકે મહાપ્રસાદ રાખવામાં આવ્યો છે.રોકડીયા હનુમાનની તિથી મહોત્સવ નિમિતે સંતવાણીનું પણ આયોજન કરવામાં આવ્યું છે.સંતવાણી રાત્રે 9 કલાકે રોકડીયા હનુમાન મંદિર,ધર્મગંગા સોસાયટી-નવી પીપળી,મોરબી ખાતે આયોજન કરવામાં આવ્યું છે.જેમાં ભજનિક સ્થાને ગોપાલ સાધુ અને સાહિત્ય કલાકાર સ્થાને ગિરધર બારોટ ઉપસ્થિત રહેશે.

આ તમામ કાર્યક્રમોમાં નવી પીપળી ગ્રામ પંચાયત ભરતભાઈ જેઠલોજા,મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથારિયા,મોરબી તાલુકા ભાજપના પ્રમુખ અરવિંદભાઈ વાંસદડીયા,મોરબી જિલ્લા પ્રમુખ જીગ્નેશભાઈ કૈલા અને મોરબી તાલુકા પંચાયતના ચેરમેન રાકેશભાઈ કાવર અતિથિ સ્થાને હાજર રહેશે.

- text

આયોજક ધર્મગંગા સોસાયટી-નવી પીપળી,શાંતિનગર -નવી પીપળી,સિલ્વર સોસાયટી-નવી પીપળી,ઓમ પાર્ક-નવી પીપળી,રોકડીયા હનુમાનજી ધૂન મંડળ આયોજિત સમિતિ દ્વારા લોકોને જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે.

- text