સુરેન્દ્રનગર-રાજકોટ સેક્શનમાં ડબલ ટ્રેકની કામગીરીના લીધે બીજી મે સુધી રેલ વ્યવહાર પ્રભાવીત થશે

- text


મોરબી : રાજકોટ ડિવિઝનના સુરેન્દ્રનગર-રાજકોટ સેક્શનમાં આવેલા દિગસર-મુળી રોડ સ્ટેશનો વચ્ચે ડબલ ટ્રેક ની કામગીરી માટે બ્લોક લેવામાં આવશે. જેના લીધે આજરોજ શનિવાર થી તા. બીજી મે સુધી રેલ વ્યવહાર અસરકર્તા થશે.

 આ અંગે રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જેફના જણાવ્યા મુજબ, જે ટ્રેનોને અસર થશે તેની વિગતોમાં રદ કરાયેલી ટ્રેનો

(1) ટ્રેન નં 22959 વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ 24 થી 1 મે સુધી રદ રહેશે.

(2) ટ્રેન નં 22960 જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ તા. 25 થી બીજી મે સુધી રદ રહેશે.

જયારે આંશિક રીતે રદ કરાયેલી ટ્રેનોમાં 

(1) ટ્રેન નં 19209 ભાવનગર-ઓખા એક્સપ્રેસ તા. 23 થી તા. 30 એપ્રિલ સુધી ભાવનગરથી સુરેન્દ્રનગર સુધી દોડશે. આમ આ ટ્રેન સુરેન્દ્રનગર-ઓખા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

(2) ટ્રેન નં. 19210 ઓખા-ભાવનગર એક્સપ્રેસ તા. 24 થી તા. 1 મે સુધી સુરેન્દ્રનગરથી ભાવનગર સુધી દોડશે. આમ, આ ટ્રેન ઓખા-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

(3) ટ્રેન નં 19119 અમદાવાદ-સોમનાથ ઇન્ટરસિટી એક્સપ્રેસ તા. 24 થી તા. 1 મે સુધી અમદાવાદથી સુરેન્દ્રનગર સુધી દોડશે. આમ આ ટ્રેન સુરેન્દ્રનગર-સોમનાથ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

- text

(4) ટ્રેન નં. 19120 સોમનાથ-અમદાવાદ ઇન્ટરસિટી એક્સપ્રેસ તા. 24 થી તા. પહેલી મે સુધી સુરેન્દ્રનગરથી અમદાવાદ સુધી દોડશે. આમ, આ ટ્રેન સોમનાથ-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે ઉપરોક્ત તમામ તારીખો ટ્રેનોના મૂળ સ્ટેશન પરથી ઉપડવાની છે.

 તા. 24 થી તા. પહેલી મે સુધી માર્ગમાં રેગ્યુલેટ (લેટ) થનારી ટ્રેનોમાં 

(1) ટ્રેન નં. 12268 હાપા-મુંબઈ સેન્ટ્રલ દુરાન્તો એક્સપ્રેસ દરરોજ 30 મિનિટ,

(2) ટ્રેન નં. 19015 મુંબઈ સેન્ટ્રલ-પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ દરરોજ 10 મિનિટ,

(3) ટ્રેન નં 19578 જામનગર-તિરુનાલવેલી એક્સપ્રેસ દર રવિવારે 25 મિનિટ,

(4) ટ્રેન નં. 22939 હાપા-બિલાસપુર એક્સપ્રેસ દર રવિવાર 25 મિનિટ,

(5) ટ્રેન નં. 22924 જામનગર-બાંદ્રા હમસફર એક્સપ્રેસ દર રવિવાર, મંગળવાર અને શુક્રવાર 25 મિનિટ રહેશે.

ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને રેલવે તંત્ર મુસાફરોને વિનંતી કરવામાં આવી છે કે તેઓ તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેનોના સંચાલનને લગતા નવીનતમ અપડેટ્સ માટે  http://www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લે જેથી કરીને કોઈ અસુવિધા ન થાય.

- text