ગરમીથી રાહતમાં આંખોમાં મરાતી પાણી છાલક, બની શકે છે ‘ડ્રાય આઇ’નું કારણ

- text


ઉનાળાની અંગદઝાડતી ગરમીમાં રાહત મેળવવા માટે લોકો એસીમાં બેસવાનું પસંદ કરે છે અને વારેવારે આંખ પર પાણી છાંટી ટાઢક મેળવતા હોય છે. જો કે તબીબોના મતે આંખ પર પાણીની છાલક મારતી વખતે આંખ બંધ રાખવી જોઈએ. અન્યથા તેનાથી આંસુનું લેયર સુકાઈ જાય છે, જે ચાર કલાકે બને છે. આ ઋતુમાં ગરમીને લીધે આંખ લાલ થવી કે ડ્રાય આઇ થતી હોવાનું લોકો માને છે પણ તેની પાછળ કમ્પ્યુટર અને એરકન્ડિશનનો વધુ ઉપયોગ પણ જવાબદાર છે.

નિષ્ણાતોના મતે આંખ ખુલ્લી રાખીને પાણીની છાલક મારવાથી આંખ પર રહેલું આસુનું લેયર નીકળી જાય છે અને ફરીથી બનતા ચાર કલાક લાગે છે. જેથી, ખુલ્લી આંખને બદલે પાંપણો બંધ રાખીને તેમજ પીવાના પાણીથી જ આંખો પર છાલક મારવી જોઇએ જે હિતાવહ છે.

- text

ગરમીમાં બહાર નીકળવું અને એસીમાં બેસી રહેવાના કારણે આંખ ડ્રાય થઈ જવી, લાલ પડવી, દુ:ખાવો થવો, પ્રકાશ સહન ન થવો, જેવા કિસ્સા બનતા હોય છે. હાલમાં ડ્રાય આઈના કેસોમાં 30 ટકા વધારો થયો છે. મજૂરી કામ કે ફિલ્ડ વર્ક સાથે સંકળાયેલા વ્યકિતઓની આંખમાં ભરાયેલી ધૂળ-માટી દૂર કરવા માટે વારંવાર આંખમાં પાણીની છાલક મારતા હોય છે. જેનાથી ડ્રાય આઇની સમસ્યા થઇ શકે છે. જેમાં દર્દીને આંખમાં આંસુનું લેય૨ બનતું નથી. જેથી, આવી પીડાઓથી બચવા વારંવાર આંખમાં પાણી ન નાખવું જોઈએ અને જો કોઈ સમસ્યા જણાય તો તબીબી સલાહ લેવી જોઈએ.

- text