સોશિયલ મીડિયામાં “રમતો જોગી” ફેમ હાસ્ય કલાકાર કાલે ગુરુવારે મોરબીમાં

- text


“આપ” આયોજિત જનસંવાદમાં આગામી ચૂંટણી અંગે ચર્ચા કરશે

મોરબી : સોશીયલ મીડીયાની અંદર “રમતો જોગી” થી ઓળખાતા સુરત કોર્પોરેશનના કાઉન્સિલર આવતીકાલે મોરબીની મુલાકાતે આવી રહ્યા છે.ત્યારે તેઓ “આપ” દ્વારા આયોજિત જનસંવાદમાં હાજરી આપી આગામી ચૂંટણી અંગે ગુજરાતની જનતાને કઈ પ્રકારની સરકાર જોઈએ છે ? તે અંગે ચર્ચા કરશે.

સોશીયલ મીડીયાની અંદર “રમતો જોગી” થી પોતાની ખ્યાતિ મેળવેલ કિરણ ખોખાણી આવતીકાલે મોરબીની મુલાકાતે આવી રહ્યા છે.કિરણ ખોખાણી આમ આદમી પાર્ટીના બેનર હેઠળ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી લડે અને પ્રચંડ મતોથી વિજય મેળવે તેવી “આપ” આગેવાનોએ આશા વ્યક્ત કરી હતી.હાલ તેઓ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના સદસ્ય છે.

આમ આદમી પાર્ટી દ્વારા “જન સંવાદ” કાર્યક્રમનું તા.21ને બુધવારના રોજ સાંજે 7:30 કલાકે ઉમા રિસોર્ટ, કંડલા બાયપાસ, આર.ટી.ઓ.ઓફિસ ખાતે યોજાશે.આ ક્રાર્યક્રમમાં આમ જનતા સાથે કિરણ ખોખર ચર્ચા કરશે.જેમાં મુખ્ય મુદ્દો એ પણ રહેશે કે ગુજરાતની જનતાને કઈ પ્રકારની સરકાર જોઈએ છે ? આમ આદમી પાર્ટીનો મુખ્ય હેતુ શિક્ષણ,સ્વાસ્થ્ય અને ભ્રષ્ટાચાર મુક્ત સરકારની સારી સેવાઓ આપવાનો રહ્યો છે.દિલ્હી બાદ પંજાબમાં પણ લોકોને ભારતના બંધારણ મુજબ સારી સુવિધાઓ મળી રહી છે.ત્યારે આ અંગે ગુજરાત શું ઈચ્છી રહ્યું છે તે વિષય પર ચર્ચા આ કાર્યક્રમમાં કરવામાં આવશે.આમ આદમી પાર્ટી મોરબી જિલ્લા દ્વારા તમામ જાહેર જનતાને આ કાર્યક્રમમાં પધારવા આમંત્રણ આપવામાં આવ્યું છે.

- text

- text