મોરબીમાં શનિવારે લાલાબાપાની પુણ્યતિથિ ઉજવાશે

- text


જાગા સ્વામી મિત્ર મંડળ અને સમસ્ત મોચી સમાજ મોરબી દ્વારા આયોજન

મોરબી : મોરબીમાં જાગા સ્વામી મિત્ર મંડળ તથા સમસ્ત મોચી સમાજ મોરબી દ્વારા તા.૨૩ને શનિવારના રોજ મોચી જ્ઞાતિ રત્ન ભક્તરાજ લાલાબાપાની ૮૧મી પુણ્યતિથીની ઉજવણી કરવામાં આવશે.

કોરોના મહામારીના કારણે બે વર્ષ બાદ આ વર્ષે જાગા સ્વામી મિત્ર મંડળ અને સમસ્ત મોચી સમાજ મોરબી દ્વારા લાલાબાપાની પુણ્યતિથીની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં તા. ૨૩ને શનિવારે મોઢ બ્રાહ્મણ વાડી, સાવસર પ્લોટ શેરી નં-૧૦/૧૧,વ્રજ હોસ્પિટલ સામે મોરબી ખાતે સવારે ૧૦:૩૦ કલાકે મહાઆરતી અને ૧૧:૩૦ કલાકે સમૂહ પ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાશે.જે પ્રમુખ ઈશ્વરભાઈ એમ.રાઠોડની યાદીમાં જણાવ્યું છે.

- text

- text