મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકર માર્ગના બોર્ડની અનાવરણ વિધિ કરાઈ

- text


 

મોરબી : નટરાજ ફાટકથી ભળીયાદ કાંટા સુધીના રોડનું ડો. ભીમરાવ આંબેડકર માર્ગ નામકરણ બાદ તેના બોર્ડની અનાવરણ વિધિ કરવામાં આવી હતી.

યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારીની પહેલ અને મોરબી નગરપાલિકા વોર્ડ નંબર ૧૩ના કાઉન્સીલર ભાનુબેન સી. નગવાડિયાની રજુઆતથી નગરપાલિકાની બોર્ડ મિટિંગ દ્વારા સર્વાનુમતે નટરાજ ફાટકથી ભળીયાદ કાંટા સુધીના રોડનું નામ બાબા સાહેબ ડો. ભીમરાવ આંબેડકર નામકરણ કરવામાં આવ્યું હતું. આ બોર્ડની અનાવરણ વિધિ ડો. બાબા સાહેબની જન્મ જયંતિના દિવસે કરવામાં આવી હતી. આ વેળાએ ચંદુભાઈ ટુંડીયા, એડવોકેટ કેતનભાઈ ટુંડીયા, દીપકભાઈ ટુંડીયા અને ગોવિંદભાઇ મકવાણા ઉપસ્થિત રહ્યા હતા.

- text

- text