વાંકાનેરની ઘીયાવડ પ્રાથમિક શાળામાં ધો.8ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો

- text


વિવિધ સ્પર્ધાઓના વિજેતાઓનું ઇનામ આપી સન્માન કરાયું

વાંકાનેર : ઘીયાવડ પ્રાથમિક શાળામાં ધોરણ 8ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો હતો.તેમજ આગળના અભ્યાસ માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આ ઉપરાંત ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓ માટે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં વિજેતા વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવ્યા હતા.

ઘીયાવડ પ્રાથમિક શાળામાં ધોરણ 8માં પ્રાથમિક અભ્યાસ પૂર્ણ કરીને માધ્યમિક શાળામાં જતા ધોરણ 8ના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો હતો.જેમાં શિક્ષકો અને બાળકોએ પોતાના સંસ્મરણો વાગોળ્યા હતા.વધુ અભ્યાસ માટે શિક્ષક રવજીભાઈ અને મીરલબેનએ માર્ગદર્શન આપ્યું હતું.આચાર્ય વિરેન્દ્રસિંહ પરમારે બાળકોને વધુ અભ્યાસ માટે શુભેચ્છા પાઠવી હતી.શાળાના શિક્ષકો મીરલબેન,નમ્રતાબા,કવિતાબેન,દિનેશભાઈ,રવજીભાઈ,વિરેન્દ્રસિંહ તરફથી વિદ્યાર્થીઓને યાદી રૂપે ભેટ આપવામાં હતી અને સ્વરૂચી ભોજન કરાવવામાં આવ્યું હતું.

- text

આ ઉપરાંત બાળકોને સહ અભ્યાસીક પ્રવૃત્તિ દ્વારા શાળામાં નિયમિતતા વધારવા માટે ધોરણ 1 થી 8 ના બાળકો માટે દોડ,લાંબી કુદ,લંગડી,ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું.જેમાં ધોરણ દીઠ વિજેતા બાળકોને શાળાના શિક્ષક નમ્રતાબા પરમાર તરફથી ઇનામ આપવામાં આવેલ હતા.સ્પર્ધાને સફળ બનાવવા શિક્ષક નમ્રતાબા,કવિતાબેન,મીરલબેન,રવજીભાઇ,દિનેશભાઇ એ જહેમત ઉઠાવી હતી.તેમ આચાર્ય વિરેન્દ્રસિંહ પરમાર ની યાદીમાં જણાવેલ છે.

- text