મોરબીમાં સ્વયમ્ સૈનિક દળ દ્વારા ડો. આંબેડકર જયંતિ નિમિત્તે કાલે ગુરુવારે રેલી યોજાશે 

- text


મોરબી : મોરબીમાં સ્વયમ્ સૈનિક દળ દ્વારા આંબેડકર જન્મ જયંતિ નિમિતે રેલી અને સલામી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.જેમનો હેતુ ડો.આંબેડકરની માનવતાવાદી વિચારધારાનો સમાજમાં પ્રચાર – પ્રસાર કરવાનો છે.

- text

મોરબીમાં સ્વયમ્ સૈનિક દળ ડો.બાબાસાહેબ આંબેડકર જન્મ જયંતિ નિમિતે રેલી સવારે 8 કલાકે અને સલામી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.રેલી સવારે 8 કલાકે રોહીદાસપરા,વીસીફાટક,ગેસ્ટહાઉસ રોડ,નેહરૂગેટ,નગરપાલીકા ડો.બાબા સાહેબના સ્ટેચ્યુએ સલામી આપી સમાપ્ત થશે.જેનો ઉદેશ્ય સમાજમાં બાબાસાહેબ આંબેડકરની માનવતાવાદી વિચારધારાનો સમાજમાં પ્રચાર – પ્રસાર કરવાનો તેમજ બાબા સાહેબને સાચા અર્થમાં સન્માન આપવાનો છે.

- text