પતિએ સાથે બેસી ભોજન ન લેતા પરિણીતાએ ગળેફાંસો ખાઈ મોત વ્હાલું કર્યું

- text


મોરબી : માળીયા તાલુકામાં ખાખરેચી ગામે અરેરાટી વ્યાપી જાય તેવી એક ઘટનામાં દરરોજ સાથે જમવાનો નિત્યક્રમ ધરાવતા પતિ – પત્ની પૈકી પતિની તબિયત ખરાબ હોય પત્ની સાથે બેસીને ન જમતા લાગી આવવાથી પત્નીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ માળીયા તાલુકાના ખાખરેચી ગામે રહેતા ગૌતમભાઇ ઉર્ફ ગોપાલભાઇ નવઘણભાઇના પત્ની
તેજલબેને પોતાના ઘેર પંખા સાથે દુપટ્ટો બાંધી આપઘાત કરી લેતા મૃત્યુ નીપજ્યું હતું.

વધુમાં જણવા મળ્યા મુજબ મૃતક તેજલબેનના લગ્ન એક વર્ષ પહેલાં જ ગૌતમભાઇ ઉર્ફ ગોપાલભાઇ નવઘણભાઇ સાથે થયા હતા અને દરરોજ પતિ પત્ની સાથે બેસીને જ જમતા હતા પરંતુ બનાવના દિવસે ગૌતમભાઈની તબિયત ખરાબ હોવાથી તેઓ સાથે ન જમતા તેજલબેનને લાગી આવ્યું હતું અને આપઘાત કરી લીધો હોવાનું પરિવારજનોએ પોલીસ સમક્ષ જાહેર કર્યું હતું.

- text

ઘટના અંગે માળીયા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી છે અને લગ્નજીવન એક જ વર્ષનું હોય બનાવ અંગે નાયબ પોલીસ અધિક્ષક દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે.

- text